ભારતીય ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ફેન્સ માટે એક પછી એક દિલધડક સમાચાર આવી રહ્યા છે. કેપ્ટન રોહિત શર્મા અને કિંગ કોહલી બાદ હવે જડ્ડુ એટલે કે રવિન્દ્ર જાડેજાએ પણ ઈન્ટરનેશનલ T-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. રવિન્દ્ર જાડેજાએ પોતે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ માહિતી આપી છે.

10 ફેબ્રુઆરી 2009ના રોજ જાડેજાએ પોતાની પ્રથમ મેચ શ્રીલંકા સામે કોલંબોમાં રમી હતી. પોતાની ડેબ્યૂ ટી20માં જાડેજાએ 4 ઓવરમાં 29 રન આપીને કોઈ વિકેટ લીધી ન હતી. જ્યારે બેટથી 7 બોલમાં 5 રન બનાવ્યા હતા.

ડેબ્યૂ મેચ અને છેલ્લી મેચ સમાન
જાડેજાએ ટી20 વર્લ્ડ કપ 2024ની છેલ્લી મેચ રમી હતી . આ મેચમાં જાડેજાએ બેટથી 2 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં પણ તે 12 રન આપીને કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. એટલે કે તેની ડેબ્યૂ અને છેલ્લી મેચ લગભગ સમાન રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ravindrasinh jadeja (@royalnavghan)

T20 વર્લ્ડ કપ રમવાનો અનુભવ હોવા છતાં જાડેજા આ વખતે T20 વર્લ્ડ કપમાં કોઈ જાદુ દેખાડી શક્યો નથી. તેણે આ T20 વર્લ્ડ કપ 2024 સીઝનમાં અત્યાર સુધી 8 મેચોની 5 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે. જેમાં 11.66ની એવરેજ અને 159.09ની સ્ટ્રાઈક રેટથી 35 રન બનાવ્યા છે. જાડેજાની સૌથી મોટી ઇનિંગ અણનમ 17 રનની હતી.

જાડેજા આ વર્લ્ડ કપમાં બોલિંગમાં કોઈ જાદુ નથી બતાવી શક્યો. તેણે કુલ 14 ઓવર નાખી, જેમાં તેણે માત્ર 1 વિકેટ લીધી. એકંદરે, જાડેજાએ 6 T20 વર્લ્ડ કપમાં 30 મેચ રમી, જેમાં તેણે બેટથી 130 રન બનાવ્યા. આ દરમિયાન તેણે કુલ 22 વિકેટ પણ લીધી છે. આ વખતે એટલે કે 2024 સીઝનમાં તેનું ફોર્મ તેને સાથ આપી શક્યું નહીં.