સાળંગપુર મંદિર આશરે 150 વર્ષ કરતા પણ જૂનું છે અને આ મંદિરની સ્થાપના જાણે ભક્તોના કાષ્ટ હરવા માટે જ થઇ છે.
આ મંદિર ગુજરાતના બોટાદ જિલ્લાના પરવારા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલું છે. ભૂત અને પ્રેત આત્માથી પીડિત લોકો આ મંદિરના દર્શન એક વાર કરી લે તો તેમને ભૂત અને આત્માથી મુક્તિ મળી જાય છે. આ ઉપરાંત માનસિક રીતે વિકલાંગ લોકો અને મંદબુદ્ધિના લોકો પણ આ મંદિરના દર્શન નો અવષ્ય લાભ લે છે .ખાસ કરીને કાળી ચૌદશના દિવસે હનુમાનજીના દર્શન કરવા માટે બધા ભક્તો ની ભીડ જોવા મળે છે.
ભૂત પ્રેત આત્માથી ઉગારતા આ મંદિર માટે એવી વાયકા છે કે ભૂત આત્મા થી પીડિત લોકો આ મંદિર માં આવા થી મંદિરનું પરિસર ધ્રુજવા લાગે છે. અને હનુમાનજીની મૂર્તિ દર્શન માત્ર જ ભૂત આત્મા ભાગી જાય છે. અને મંદિરમાં ચાલતો ધુમાડો શ્વાસમાં જતા અને મંદિરમાં ચાલતા મંત્ર ઉચ્ચારથી ભૂત પ્રેત કાયમ માટે નાસી જાય છે .
શનિદેવને સૌથી વધુ ક્રોધિત દેવ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો તેમની દુષ્ટ દ્રષ્ટિ કોઈ વ્યક્તિ પર પડે છે, તો તેના જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. આપણા હિન્દુ ગ્રંથોમાં માન્યતા છે કે જે કોઈ ભગવાન હનુમાન જીની ઉપાસના કરે છે, તેમના પર શનિદેવનો ક્રોધ નથી. એવું કહેવામાં આવે છે કે શનિદેવ પણ મહાબાલી હનુમાનની સામે કંઇપણ કરવામાં અસમર્થ છે.
બધા જાણે છે કે હનુમાન જી બ્રહ્મચારી છે અને તેઓ કોઈ પણ સ્ત્રી ઉપર હાથ ઉપાડતા નથી, કે ખરાબ વર્તન કરતા નથી. આટલું વિચારીને શનિદેવે હનુમાન જીથી છટકી જવા માટે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને ભગવાન હનુમાન પાસેથી તેમના પગ પર આશ્રય મેળવ્યો. હનુમાન જીને ખબર પડી ગઈ હતી કે શનિદેવ સ્ત્રીનું રૂપ લઈ રહ્યા છે. આ હોવા છતાં, હનુમાન જીએ શનિદેવને સ્ત્રી સ્વરૂપે માફ કરી દીધા. તે પછી શનિદેવે હનુમાન જીના ભક્તો ઉપર પોતાનો ક્રોધ છીનવી લીધો.