ભારત-શ્રીલંકા સિરીઝમાં મોટું કૌભાંડ, મેચ રેફરીની આ ભૂલે ટીમ ઈન્ડિયાની જીત છીનવી લીધી!
ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે સીરિઝ અત્યાર સુધી શાનદાર રહી છે. શ્રીલંકાએ રવિવારે બીજી ODIમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું અને પ્રથમ ODI મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી. પરંતુ હવે આ ODI સિરીઝને લઈને એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી વનડે મેચ ટાઈ થશે તો તેમાં સુપર ઓવર રમાશે. હવે સવાલ એ છે કે પ્રથમ વનડે મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર કેમ ન કરાવવામાં આવી? શ્રીલંકા ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. જેમાં તેણે કહ્યું હતું કે પ્રથમ વનડે મેચમાં પણ સુપર ઓવર થવી જોઈતી હતી પરંતુ તેમ થયું નહીં.
પ્રથમ વનડેમાં શું થયું?
ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડેમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 230 રન બનાવ્યા હતા જેના જવાબમાં ટીમ ઈન્ડિયા માત્ર 230 રન બનાવી શકી હતી અને મેચ ટાઈ થઈ હતી. મોટી વાત એ છે કે આઈસીસીના નિયમો અનુસાર મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર થવી જોઈતી હતી પરંતુ આઈસીસી મેચ રેફરી રંજન મદુગલેએ તેમ કર્યું ન હતું. એટલું જ નહીં, મેદાન પરના અમ્પાયર અને થર્ડ-ફોર્થ અમ્પાયર પર પણ સવાલો ઉભા થાય છે. સવાલ એ છે કે શું આ અધિકારીઓને પણ ODIમાં સુપર ઓવરના નિયમની ખબર ન હતી?
જો ODIમાં મેચ ટાઈ થાય તો ICCનો શું નિયમ છે?
ICCના નિયમો અનુસાર, જો બંને ટીમો સમાન સ્કોર બનાવે છે તો સુપર ઓવર થવી જોઈએ. જો સુપર ઓવર પણ ટાઈ રહે તો સુપર ઓવર જ્યાં સુધી વિજેતા ન મળે ત્યાં સુધી ચાલુ રહેવી જોઈએ. ICCના નિયમોમાં સ્પષ્ટ લખ્યું છે કે ODI મેચ ટાઈ થાય તો પણ સુપર ઓવર થવી જોઈએ પરંતુ કોલંબોમાં આવું થયું નથી. જેના કારણે ટીમ ઈન્ડિયાને કોઈને કોઈ રીતે નુકસાન થયું છે. ટીમ ઈન્ડિયા પ્રથમ ટી20 સુપર ઓવરમાં જીતી શકી હોત અને જો એવું થયું હોત તો આજે તે સીરિઝ માં 0-1થી પાછળ ન રહી હોત. હવે જોવાનું એ રહેશે કે ICC આ મોટી ભૂલ પર શું જવાબ આપે છે.