તાજેતરમાં NCUI ના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવનાર અને ભાજપના દિગ્ગજ નેતા દિલિપ સંઘાણી અને તેમના ધર્મપત્ની આજે કોરોના સંક્રમિત થયા છે જેમની વિગત દિલીપ સંઘાણી એ ટ્વિટરના માધ્યમ દ્વારા આપી છે તેમણે જણાવ્યુ છેકે ,તેમણે અને તેમના  પત્નીએ આજે ​​કોરોના ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ  આવ્યો છે.તેમની  તબિયત બરાબર છે, તેમણે વિનંતી કરી છે કે  છેલ્લા થોડા  દિવસોમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકો કોરોના ટેસ્ટ કરાવે