ગુજરાતમાં કોરોનની પરિસ્થિતી ગંભીર છે ત્યારે હાલની પરિસ્થિતીને દયાને લઈને ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અદયક્ષ અમિત ચાવડા , ભરતસિંહ સોલંકી અને અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના નેતાઓ એ મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી અને હાલની પેરિસથીને દયાને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
ગુજરાતમાં કોરોનાની બેકાબુ પરિસ્થિતિમાં લોકોના જીવ બચાવવા માટે સરકાર તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન, વેન્ટિલેટર, સ્ટાફ ઉપલબ્ધ કરાવે, ટેસ્ટિંગ માટે ની કીટ અને લેબોરેટરી વધારો, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની કાયમી ભરતી કરો, એમ્બ્યુલન્સ વધારો, ગરીબ જરૂરિયાત મંદ લોકોને આર્થિક સહાય પેકેજ આપવામાં આવે જેવી વિવિધ પ્રજાના જીવ બચાવવા અને સુખાકારી માટેની માંગણી સાથે કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને આવેદન આપવામાં આવ્યું.