શ્યામ સેદાણી, બાબરા: અમરેલી લોહાણા મહાજનના અગ્રણી અને ભાજપના દિગ્ગજ નેતા ડૉ. ભરતભાઈ કાનાબાર  બાબરા ખાતે પધાર્યા હતા અને આ પ્રસંગે લોહાણા મહાજન વાડી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન  લોહાણા મહાજન પ્રમુખ તેજસભાઈ કારીયા, ટ્રસ્ટી હરેશભાઈ વણઝારા, રઘુવીર સેના બાબરાના પ્રમુખ રિષિભાઈ રૂપારેલીયા, મનુભાઈ સૂચક, સુરેશભાઈ રાજપોપટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. ભરતભાઈ કાનાબાર સાથે સૌએ હાર્દિક સંવાદ કર્યો અને મહાજન વાડી ખાતે સૌજન્ય મુલાકાતને યાદગાર બનાવી.