કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,26,098 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 3,53,299 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 3890 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે
હાલમાં ભારતમાં કુલ 36,73,802 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 18,04,57,579 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2,43,72,907 લોકો કોરોનાથી સંકર્મિત થઈ ચૂક્યા છે જ્યારે 2,04,32,898 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં કુલ 2,66,207 લોકોના કોરોનાથી મોત થયા છે.