suryakumar yadav

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL) અત્યંત ખરાબ પ્રદર્શન કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ(MI)ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ભરોસાપાત્ર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. IPLએ ટ્વીટ કરીને આ જાણકારી આપી.

મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, સૂર્યકુમાર યાદવને ડાબા હાથના ઉપરના ભાગમાં સ્નાયુમાં ઇજા થઈ છે. સૂર્યકુમાર યાદવ (suryakumar yadav) આ સિઝનમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમે તેને આરામ કરવાની સલાહ આપી છે.