ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં રવિવારે બપોરે એક ભયાનક અકસ્માત થયો હતો.સામસામે અથડાયા બાદ ટ્રકે બસને એક બાજુથી ચીરી નાખી હતી. જેના કારણે સાત લોકોના મોત થયા છે. એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.અને ઘણા લોકોની હાલત નાજુક છે.
ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં રવિવારે બપોરે એક ભયાનક અકસ્માત થયો હતો. સામસામે અથડાયા બાદ ટ્રકે બસને એક બાજુથી ચીરી નાખી હતી. જેના કારણે સાત લોકોના મોત થયા છે. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી ઘણાની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસે ઘાયલોને સીએચસીમાં દાખલ કર્યા છે. તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામને જિલ્લા હોસ્પિટલમાં રીફર કર્યા હતા. આ અકસ્માત સફીપુર કોતવાલી વિસ્તારના જમાલદીપુર પાસે થયો હતો. જો કે પોલીસે અત્યાર સુધીમાં છના મોતની પુષ્ટિ કરી છે. ત્રણ લોકોની ઓળખ કરવામાં આવી છે. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે.
ઉલ્લેખનીય છે કે, બાંગરમાઉથી ઉન્નાવ જઈ રહેલી ખાનગી બસ સફીપુર કોતવાલી વિસ્તારના જમાલદીપુર ગામ પાસે પહોંચી હતી.આ દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવતી ટ્રકે તેને સીધી ટક્કર મારી હતી.આ અથડામણ બાદ ટ્રક બસને એક બાજુથી ચીરીને આગળ વધી હતી.
આ અકસ્માતના પગલે હોબાળો મચી ગયો હતો અને અકસ્માતના દ્રશ્યો એટલા વિચલિત કરે તેવા હતા કે,ઘાયલ લોકો બસની બહાર લટકતા જોવા મળ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને તાત્કાલિક સીએચસી સફીપુર લઈ ગયા. જ્યાં તબીબે બે લોકોને મૃત જાહેર કર્યા હતા. પાછળથી અન્ય પાંચ મૃત્યુ પામ્યા. ઘટના બાદ ટ્રક ચાલક ચકલવંશી રોડ પરથી નાસી છૂટ્યો હતો. પોલીસને જાણ કર્યા બાદ જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે.
બીજી તરફ ઘાયલોની સફીપુર સીએચસી અને જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જિલ્લા હોસ્પિટલના ડોક્ટરને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઘાયલ અને મૃતકોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે એક મુસાફર કૂદીને રોડ પર પડ્યો હતો. જેના કારણે તેના માથામાં ઈજા થઈ હતી. આટલું જ નહીં, બે મુસાફરોના શિરચ્છેદ થઈને અલગ થઈ ગયા હતા.