ભારતના પૂર્વ ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અને વડોદરા વાતની અંશુમાન ગાયકવાડનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. અંશુમનની હાલત જોઈને કપિલ દેવે મદદ કરવાની પહેલ કરી હતી. કપિલે અંશુમનની મદદ માટે પોતાનું પેન્શન દાન કરવાનો નિર્ણય લીધો હતો. આજે વડોદરામાં 12 વાગ્યે અંતિમયાત્રા નીકળશે.

મોહિન્દર અમરનાથ, સંદીપ પાટીલ, મદન લાલ અને કીર્તિ આઝાદ પણ તેમના સાથી ખેલાડીઓની મદદ માટે આગળ આવ્યા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ મદદ કરી અને અંશુમનની સારવાર માટે 1 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. અંશુમાન એક સમયે ભારતીય ક્રિકેટના ધ ગ્રેટ વોલ તરીકે ઓળખાતા હતા.

અંશુમાનની મેદાનની સફર 
અંશુમાને 27 ડિસેમ્બર 1974ના રોજ કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી . ટેસ્ટ મેચમાં તેમનો છેલ્લો દેખાવ કોલકાતા ટેસ્ટમાં હતો જે 1984ના છેલ્લા દિવસે ઇંગ્લેન્ડ સામે થયો હતો.

ગાયકવાડે તેમની 40 ટેસ્ટ મેચની કારકિર્દીમાં 30.07ની સરેરાશથી 1985 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 10 અડધી સદી સામેલ છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 201 રન હતો.  જે તેમણે પાકિસ્તાન સામે બનાવ્યો હતો. ગાયકવાડે ભારત માટે 15 ODI મેચમાં પણ ભાગ લીધો હતો, જેમાં તેમના નામે 20.69ની એવરેજથી 269 રન છે.

71 વર્ષીય અંશુમાને 206 ફર્સ્ટ ક્લાસ મેચમાં 41.56ની એવરેજથી 12,136 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમના બેટમાંથી 34 સદી અને 47 અડધી સદી આવી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 225 રન હતો. આ સિવાય ગાયકવાડે 55 લિસ્ટ-એ મેચ પણ રમી હતી, જેમાં તેમણે 32.67ની એવરેજથી કુલ 1601 રન બનાવ્યા હતા.ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી અંશુમાને કોચિંગને તેમની કારકિર્દી તરીકે લીધી. તેઓ 1997-99 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ હતા. ગાયકવાડે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) માટે પણ કામ કર્યું હતું અને 2000માં આ કંપનીમાંથી નિવૃત્ત થયા હતા.

જૂન 2018માં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગાયકવાડને લાઈફટાઈમ અચીવમેન્ટ અવોર્ડથી સન્માનિત કર્યા હતા. અંશુમાન ગાયકવાડના પિતા દત્તા ગાયકવાડે પણ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

BCCI આવ્યું હતું મદદે
1970-80ના દાયકામાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાંથી રમતા હતા અને લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ટીમ પૂર્વ દિગ્ગજ ખેલાડી કપિલ દેવ અને સંદીપ પાટિલે ગાયકવાડના પરિવારને આર્થિક મદદ કરવા માટે અપીલ કરી હતી.  જે બાદ BCCI દ્વારા 15 દિવસ અગાઉ જ એક કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરવામાં આવી હતી.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો