ઈઝરાયેલે હિઝબુલ્લાના ચીફ હસન નરસલ્લાહની હત્યા કરવાનો દાવો કર્યો છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું, ‘હસન નસરાલ્લાહ હવે દુનિયાને આતંકિત કરી શકશે નહીં.’ IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહ અને અન્ય કમાન્ડરો સહિત દક્ષિણી મોરચાના કમાન્ડર અલી કાર્ચીને મારી નાખ્યા છે.”

ડેનિયલ હગારીએ કહ્યું કે, ‘ઈઝરાયલી ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી સચોટ બાતમી બાદ, અમારા વાયુસેનાના ફાઈટર પ્લેન્સે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના સેન્ટ્રલ હેડક્વાર્ટર પર લક્ષ્યાંકિત હુમલો કર્યો, જે દહિયાહ વિસ્તારમાં રહેણાંક મકાનના ભોંયરામાં સ્થિત હતું.  આ હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે હિઝબોલ્લાહનું વરિષ્ઠ નેતૃત્વ તેના હેડક્વાર્ટરમાં ઇઝરાયલી નાગરિકો વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ ચલાવવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું હતું.

ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે હસન નસરાલ્લાહના 32 વર્ષના કાર્યકાળ દરમિયાન હિઝબુલ્લાના વડા તરીકે, તેઓ અસંખ્ય ઇઝરાયેલ નાગરિકો અને સૈનિકોની હત્યા અને હજારો આતંકવાદી કૃત્યોના આયોજન અને અમલ માટે જવાબદાર હતા. IDFના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હસન નસરાલ્લાહ વિશ્વભરમાં આતંકવાદી હુમલાઓ કરવા માટે જવાબદાર હતો જેમાં વિવિધ દેશોમાં નિર્દોષ નાગરિકોની હત્યા થઈ હતી. હિઝબુલ્લાહમાં, તે નસરાલ્લાહ હતો જેણે તમામ મુખ્ય નિર્ણયો લીધા અને વ્યૂહરચના બનાવી.

ડેનિયલ હગારીના જણાવ્યા અનુસાર, ‘હસન નસરાલ્લાહના નેતૃત્વમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ સાથે મળીને 8 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું હતું.’ આઇડીએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ગયા વર્ષે ઓક્ટોબરથી, હિઝબુલ્લાએ ઇઝરાયેલી નાગરિકો પર વારંવાર અને બિનઉશ્કેરણીજનક હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે, જેના કારણે લેબનોન અને પ્રદેશમાં વ્યાપક તણાવ થયો છે.” ઇઝરાયેલી સૈન્ય ઇઝરાયેલ અને તેના લોકો વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપનાર અથવા તેમાં ભાગ લેનાર કોઈપણ સામે તેની કાર્યવાહી ચાલુ રાખશે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો 
Youtube ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો