પરેશ ધાનાણી અગ્નિકાંડ મામલે આકરા પાણીએ, મૃત્યુઆંક મામલે ઉઠાવ્યા સવાલો…
રાજકોટમાં અગ્નિકાંડને લઈને હજુ લોકોની આંખના આંસુ સતત વહી રહ્યા છે. સતત લાગણી સભર દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ અગ્નિકાંડ મામલે સરકાર સામે સવાલ કર્યા છે.
પરેશ ધાનાણીએ સરકાર પર સવાલ કરતાં કહ્યું કે, ઘટનાને આપણે સૌ સાક્ષી છીએ રાજકોટના હૃદય સમાન વિસ્તારમાં આગની ઘટના કેટલાય જીવન બુજાવી દીધા છે સત્તાવાર 28 વ્યક્તિ મરણ થયા છે તેવું સરકાર દ્વારા જણાવેલ છે. બનાવના દિવસે કોંગ્રેસના આગેવાનો સવારના પાંચ સુધી સતત હોસ્પિટલો ઉપર પીડિત પરિવારો ને અને શક્ય એટલી મદદરૂપ સરકારને બનેલ હતા. હૃદય થીજી જાય એવા દ્રશ્યોના તાજનો સાક્ષી હું પણ છું સરકાર દ્વારા સત્યને છુપાવવાનો પ્રયાસ છે. ટ્રીનીટ્રી હોસ્પિટલમાં મૃતદેહ સૌપ્રથમ પહોંચાડેલ હતા ગેમ ઝોન ની કામગીરી ચાલુ હતી ત્યારે કાટમાળ નીચે દબાયેલા સળગેલ હતા અને લાશો જેનો અતો પતો નથી. 26 તારીખે બનાવના બીજા દિવસે પણ કેટલીક વ્યક્તિઓના માનવ અવશેષો પ્રાપ્ત થયા હતા બપોરે બીજી શિફ્ટમાં પણ મૃતદેહો અવશેષો પ્રાપ્ત થયા અંદાજે 44 જેટલા સબ હોવાનું જાણવા મળેલ છે ગુમ થયેલા આંકડામાં વિસંગતતા છે.
સિવિલ હોસ્પિટલમાં કેટલાયના પીએમ કર્યા આજે પ્રસિદ્ધ થયા નથી. શિબિલ સર્જન, કલેકટર, કલેક્ટર પોલીસ કમિશનર તરફ ખો આપે છે અને દરેકના આંકડાઓ જુદા જુદા હોય અને દરેકના આંકડામાં વિસંગતતા જોવા મળે છે પોસ્ટમોર્ટમ પછી પણ સાચો આંકડો સિવિલ સર્જન છુપાવતા હોય તેવું સ્પષ્ટ જણાય છે. સીટના વડાના ગઈકાલના નિવેદનમાં જણાવ્યું છે કે 3000 સેન્ટિગ્રેડ જેટલું તાપમાન હતું ત્યારે હાલ આપણે 45 ડિગ્રીમાં પણ તોબા લઈ જાય છે ત્યારે 3000 જેટલા ડિગ્રી તાપમાનમાં એક સળી પણ ટકી શકે નહીં ગુંગળામણ ને કારણે પણ ભૂલકાઓ મૃત્યુ પામ્યા છે ઊંચા તાપમાનને કારણે આગમાં ખાખ થયા છે. રાખ થવાની સંભાવના છે કેટલીય માતાઓએ પોતાના વ્હાલસોયા ભૂલકાઓ ગુમાવ્યા છે. સરકારને વિનંતી છે કે ભવિષ્યમાં આવા બનાવોને સત્યને ઉજાગર કરવા જોઈએ એસઆઇટીનો દુરુપયોગ થયો છે એસ.આઇ.ટી જવાબદાર એવા તમામ ગુનેગારો સાથે એ એફઆઇઆર કરે તેવી અપેક્ષા છે આ ઘટનાના ભોગ બનેલા મૃત્યોને અવશેષો નહીં મળે ત્યારે ગુમ થયેલા માટે અને સાચો આંકડો મળે તે માટે આજુબાજુના સીસી કેમેરા કબજે કરવા તેમજ બિનવારસી વાહનો ની પણ તપાસ કરી સત્ય સુધી પહોંચવાનું પ્રયત્ન થવો જોઈએ.