અગ્નિવીર યોજના પર ચાલી રહેલા વિવાદ વચ્ચે કારગિલ વિજય દિવસ પર ગુજરાત સહિત 6 રાજ્યોની ભાજપ સરકારોએ અગ્નિવીરને ભેટ આપી છે. ગુજરાત, યુપી, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં અગ્નિવીર તરીકે કામ કરી ચૂકેલા યુવાનોને પોલીસ ભરતીમાં 10 ટકા અનામત આપવાની જાહેરાત કરવામાં આવી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ માહિતી આપી.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું છે કે જ્યારે અગ્નિવીર તેમની સેવા પછી પરત ફરશે, ત્યારે ઉત્તર પ્રદેશ સરકાર આ યુવાનોને પોલીસ સેવા, PACમાં અગ્રતાના ધોરણે એડજસ્ટમેન્ટ સુવિધાઓ પ્રદાન કરશે. ઉત્તર પ્રદેશ પોલીસમાં તેમના માટે ચોક્કસ રિઝર્વેશનની સુવિધા આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા થોડા વર્ષો પહેલા અગ્નવીર યોજના શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત યુવાનોને ચાર વર્ષ માટે ભારતીય સેનામાં પસંદ કરવામાં આવે છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષ અગ્નિવીર યોજનાને રદ્દ કરવાની માંગને લઈને સતત આગ્રહ કરી રહ્યું છે.
જાણો શું કહ્યું ગુજરાતના મુખ્યમંત્રીએ
અગ્નિપથ યોજના અને અગ્નિવીર અંગે વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવેલી ભ્રમ નિંદનીય છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેના અને આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં ઘણા નવા સુધારા થઈ રહ્યા છે. અગ્નિપથ યોજના પણ આવી જ એક પહેલ છે.
અગ્નિવીરના કારણે ભારતીય સેના વધુ યુવા બનશે. આ યોજના દેશના આવા બહાદુર યુવાનોને તૈયાર કરશે, જેઓ સેનામાં સેવા કર્યા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપશે.
સશસ્ત્ર પોલીસ અને SRPની ભરતીમાં ગુજરાત સરકાર અગ્નિવીરને પ્રાથમિકતા આપશે.
अग्निपथ योजना और अग्निवीरों के संबंध में विपक्ष द्वारा फैलाए जाने वाले भ्रम बेतुके भी है, और निंदनीय भी है।
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय सेना में व आंतरिक सुरक्षा व्यवस्था में कई नए रिफॉर्म्स हो रहे हैं। अग्निपथ योजना भी ऐसी ही एक पहल है।…
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 26, 2024







