ગોવામાં આમ આદમી પાર્ટીએ અમિત પાલેકરને પોતાનો મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કર્યો છે. અરવિંદ કેજરીવાલે બુધવારે પણજીમાં આની જાહેરાત કરી હતી. પાલેકર ભંડારી સમુદાયના છે. વ્યવસાયે વકીલ. તેઓ ગયા વર્ષે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

દેશના 5 રાજ્યોમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે પંજાબ બાદ ગોવામાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી ચેહરાનું નામ જાહેર કર્યું છે . ગોવામાં  અમિત પાલેકરને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરીને આમ આદમી પાર્ટી એ માસ્ટર સ્ટ્રોક માર્યો છે.

અમિત પાલેકર જે સમાજ માથી આવે છે તે ભંડારી સમુદાયની વસ્તી ગોવામાં 35% છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં ભંડારી સમુદાયનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો. કહ્યું, ‘ભંડારી સમાજ ગોવાના બહુ મોટા સમાજનો ભાગ છે. 30-35 થી 40 ટકા લોકો. 1961માં ગોવા આઝાદ થયું. ત્યારથી લઈને આજ સુધીમાં સાઠ વર્ષમાં આ સમાજનો એક માણસ અઢી વર્ષ માટે સીએમ બન્યો હતો. અમે કહ્યું કે અમે ભંડારી સમાજમાંથી સીએમ ચહેરો આપીશું.

કેજરીવાલે વધુમાં કહ્યું, ‘કેટલીક પાર્ટીઓએ અમારા પર આરોપ લગાવ્યો કે અમે જાતિની રાજનીતિ કરી રહ્યા છીએ. તે પક્ષોએ ભંડારી સમાજનો કોઈ ચહેરો સીએમ બનાવ્યો ન હતો. આ સમાજના લોકોએ લોહી અને પરસેવાથી ગોવાની પ્રગતિમાં ફાળો આપ્યો હતો. અત્યાર સુધી ગોવા એક બહુ મોટા સમાજ, ભંડારી સમુદાયનો એક ભાગ છે, તેઓના મનમાં ન્યાયની લાગણી છે.

જાણો કોણ છે અમિત પાલેકર

અમિત પાલેકર ગોવામાં ખૂબ પ્રખ્યાત છે. તેઓ વ્યવસાયે વકીલ છે પરંતુ સામાજિક કાર્યકર તરીકે તેમની ઘણી ઓળખ છે. તેઓ હંમેશા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. પાલેકર લાંબા સમયથી ગોવાના સાંતાક્રુઝ વિસ્તારમાં સક્રિય છે. જો કે તેઓ 2017થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા, પરંતુ તેમના માટે રાજકારણ નવું નથી. તેની માતા દસ વર્ષથી સરપંચ રહી હતી.

છેલ્લા થોડા સમય થી અમિત પાલેકર ખૂબ ચર્ચામાં રહ્યા હતા. ઓલ્ડ ગોવા હેરિટેજ કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર રીતે બનેલા બંગલા સામે તેમણે ભૂખ હડતાળ કરી હતી. તેમને  હડતાળ દરમ્યાન અરવિંદ કેજરીવાલ પણ મળવા પહોચ્યા હતા અને  ગોવા સરકારને તેમની સામે ઝુકવું પડ્યું અને વિવાદિત માળખા સામે પગલાં લેવા પડ્યા.