છેલ્લા ઘણાં સમયથી ભાજપનો ગઢ બની ચૂકેલ અમરેલી જિલ્લાના અમરેલી ભાજપ શાસિત નગરપાલિકામાં ભારે ઉકળાટ જોવા મળ્યો છે. ર્તમાન નગરપાલિકા પ્રમુખ સામે ભાજપના જ કાળુ પાનસુરીયાની આગેવાનીમાં કેટલાક સદસ્યોએ મોરચો માંડી અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી છે, જેના કારણે ખળભળાટ મચી ગયો છે.
ગઇકાલે અસંતોષી સદસ્યોએ નગરપાલિકા બાદ કલેકટર કચેરીમાં પહોંચી અવીશ્વાસ દરખાસ્ત મૂકી શાસન સામે મનસ્વી વર્તન કર્યાના ગંભીર આક્ષેપો મુકવામા આવ્યા હતા અને બોર્ડ મિટિંગ કોઈ કારણો વગર રદ કરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. જે બાદ આજે અમરેલીમાં નારાજ સદસ્યોની ટીમ ભાવનગર શહેરમાં આવેલ પ્રાદેશિક કમિશ્નર સમક્ષ પહોચી અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી છે.
અમરેલી નગરપાલિકાના પ્રમુખ દ્વારા લાંબા સમય સુધી બેઠક નહી બોલાવાયા બાદ ગત તારીખ 17/10ના રોજ બેઠક બોલાવાઇ હતી. પરંતુ સભ્યોની નારાજગીથી અવિશ્વાસની દરખાસ્ત આવી પડવાની સંભાવના હોય બે દિવસ અગાઉ આ બેઠક મુલતવી રાખી દેવામા આવી હતી. અને કેટલાક નારાજ સભ્યોને બંધ બારણે સમજાવી દેવાયા હતા.અમરેલીના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. હાલ અમરેલી વર્તમાન પ્રમુખ સામે 18 જેટલા અસંતોષ સદસ્યોએ મોરચો માડવામાં આવ્યો છે. ત્યારે જોવા નું રહ્યું ભાજપનું નેતૃત્વ આ વિવાદને શાંત પાડી શકે છે. કે પછી આ વિવાદ વધુ ઉગ્ર બને છે.