રાજ્યમાં કોરોનનું સંક્રમણ દરરોજ નવી સપાટી પર પહોચે છે અને અત્યારે 7000 થી વધુ કોરોનના નવા કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે રાજય સરકાર દ્વારા આજે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતને કેન્દ્રમાં રાખી અને રાજ્યમાં ધોરણ-1થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે ઉપરાંત ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી 10મી મેથી 25મી મે સુધી યોજાવાની હતી એ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલપૂરતી સ્થગિત રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે

આ ઉપરાંત ગુજરાત સરકાર આગામી તારીખ 15મી મેના રોજ કોરોના સંક્રમણની સ્થિતિની પુનઃસમીક્ષા કરી અને પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય પણ આપવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું છે