કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 60,753 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 97,743 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 1,647 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે
હાલમાં ભારતમાં કુલ 7,60,019 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 27,23,88,783 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2,98,23,546 લોકો કોરોનાથી સંકર્મિત થઈ ચૂક્યા છે જ્યારે 2,86,78,390 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં કુલ 3,85,137 લોકોના કોરોનાથી મોત થયા છે.







