વ્યાજના ચક્રમાં તરુણીનો ભોગ : રાજકોટમાં વ્યાજખોરોએ રકમ ચૂકવી દેવા છતાં ઉઘરાણી કરી તરુણી પર આચાર્યું દુષ્કર્મ…

વ્યાજનું ચક્ર જેમાં ફસાયા બાદ માણસને તેમાંથી નીકળવું મુશ્કેલ બને છે. વ્યાજખોરો રકમની ઉઘરાણી માટે લોકોને પરેશાન કરતા હોય છે. જેમાં લોકોની હત્યા કરવામાં આવે છે અથવા તો લોકોને આત્મહત્યા કરવા મજબુર કરતા હોય છે ત્યારે રાજકોટમાં ફરી એકવાર વ્યાજખોરોના આતંક સામે આવ્યો છે. કુખ્યાત ગુનોગારોએ લાખ રૂપિયાની ખોટી ઉઘરાણી કરીને વ્યાજે રૂપિયા લેનારા પરિવારના 4 સભ્યોનું અપહરણ કર્યું હતું. સામાન્ય પરિવાર આ વ્યાજના ખપ્પરમાં એવો ફસાયો કે તેમાંથી હાર નીકડવું પણ મુશ્કેલ બન્યું હતું.

 

પરિવારે જે રૂપિયા વ્યાજે લીધા હતા તેની ચૂકવણી કરી દીધી હતી, છતાં વ્યાજખોરો દ્વારા વારંવાર રૂપિયાની માંગણી કરાતી હતી.વ્યાજખોરોએ અપહરણ કર્યાં બાદ 14 વર્ષની તરૂણી પર બે વખત દુષ્કર્મ આચર્યું હતું. હદ તો ત્યાં થઈ ગઈ કે આ નરાધમોએ તરૂણીના માસી અને ભાઈ ,બહેનો સામે જ દુષ્કર્મ આચર્યું હતું.

ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં 14 વર્ષીય તરુણી પર વ્યાજખોરો દ્વારા બે વાર દુષ્કર્મ આચવામાં આવ્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઘટના વિસ્તારથી વાત કરવામાં આવે તો ઘટના એવી છે કે, રાજકોટમાં વ્યાજખોરોઓ એક પરિવારને એક લાખ રૂપિયાની કડક ઉઘરાણી ચાલુ કરી હતી, વ્યાજખોરો દ્વારા આ પરિવારના ચાર સભ્યોનું અપહરણ કરવામાં આવ્યુ હતુ.

બાદમાં આરોપીઓને આ વાતથી પણ સંતોષના થયો તો 14 વર્ષીય તરુણી પર બે વાર દુષ્કર્મ આચર્યુ હતુ. આ વ્યાજખોરોઓ એક લાખ રૂપિયાની ખોટી ઉઘરાણી કરી હતી. આ ઘટનામાં વ્યાજખોરોએ પોલીસ ફરિયાદનો ખાર રાખી 14 વર્ષીય તરુણી પર તેના પરિવારજનો સામે બે વખત દુષ્કર્મ આચર્યુ હતુ, એટલું જ નહીં વ્યાજે લીધેલા પૈસા ચૂકવી દીધા હોવા છતાં પણ વ્યાજખોરો વધુ એક લાખ ચૂકવવા દબાણ પીડિત પરિવાર પર દબાણ કરતાં હતા.

જ્યારે વ્યાજખોરો વધારાના રૂપિયાની ઉઘરાણી કરવા પીડિત પરિવારના ઘરે જતા હતા તે સમયે પહેલા પણ 17 વર્ષીય દીકરીની છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં આ પહેલા આ 17 વર્ષીય દીકરીની છેડતી થઇ અને આ દીકરીએ પોલીસ કમિશનર કચેરીમાં દવા પી આપાઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. વ્યાજખોરોનો ત્રાસ એટલો વધી ગયો હતો કે, 17 વર્ષીય દીકરીની છેડતી અને આપઘાતના પ્રયાસવાળી ફરિયાદ પાછી ખેંચવા વારંવાર પરિવાર પર દબાણ કરતા હતા. ફરિયાદ પાછી ના ખેંચતા વ્યાજખોરોઓ પીડિત પરિવારના ચાર સભ્યોના અપહરણ કર્યા હતા, બાદમાં 14 વર્ષીય તરુણી પર બે વખત દુષ્કર્મ આચર્યુ હતુ.

આ પ્રકરણમાં પોલીસે બનાવના આરોપી હકુભા ખીયાની તેની પત્ની ખતુબેન, પુત્ર એઝાદ, પુત્રવધૂ સોનીબેન એઝાદ ખિયાની અને અન્ય એક અજાણ્યા શખ્સ સહિત કુલ પાંચ વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. આઇપીસીની કલમ ૩૭૬(૨) અને (૩), ૩૬૩, ૩૬૫, ૫૦૪, ૫૦૬, ૩૨૩, ૧૧૪, પોકસો એક્ટની કલમ-૬, એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આવી ઘટના બાદ્ પ્રશ્ન એ થાય છે કે ગુનેગારો શું પોલીસનો ડર ભૂલી ગયા છે કે પછી કાયદાની સ્થિતિ નબળી પડી રહી છે….