કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,17,532 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે 2,23,990 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 491 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે
હાલમાં ભારતમાં કુલ 19,24,051 એકટિવ કેસ છે આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 3,58,07,029 લોકો ડિસ્ચાર્જ થયા છે અને ભારતમાં અત્યાર સુધી કુલ 4,87,693 લોકોના કોરોનાથી મોત થયા છે.ભારતમાં 1,59,67,55,592 વેક્સિન ના ડોઝ આપાઈ ચૂક્યા છે. ભારતમાં હાલ કોરોનાનો દૈનિક પોઝિટિવ રેટ 16.41% એ પહોચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 9,287 ઓમિક્રોન કેસ મળી આવ્યા છે,







