કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,94,720 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે 60,405 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 442 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે
હાલમાં ભારતમાં કુલ 9,55,319 એકટિવ કેસ છે આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 3,46,30,536 લોકો ડિસ્ચાર્જ થયા છે અને ભારતમાં અત્યાર સુધી કુલ 4,84,655 લોકોના કોરોનાથી મોત થયા છે.ભારતમાં 1,53,80,08,200 વેક્સિન ના ડોઝ આપાઈ ચૂક્યા છે. ભારતમાં હાલ કોરોનાનો દૈનિક પોઝિટિવ રેટ 11.05% એ પહોચ્યો છે.







